અમૃત વલોવી જહર શોધીએ છીએ - અજ્ઞાત

ક્યારેક અનુભવોમાંથી અમૃત શોધીએ છીએ,
ક્યારેક એ અમૃત વલોવી જહર શોધીએ છીએ.

કદી મનનાં ઉપવન ખૂંદીને અહંને શોધીએ છીએ,
ને અહંના એ કાદવને ખૂંદી કમળ શોધીએ છીએ.

ઉજાગરા સદીઓથી સદી ગયા છે અમને તોય,
કદી દીવો લઇ પેલી નિંદરને શોધીએ છીએ

- અજ્ઞાત

----
ઉપ્રોક્ત પન્ક્તિ કોણે લખેલ છે એ મને ખ્યાલ નથી પણ આ બે પન્ક્તિ ચિન્ટુ ની મમ્મી એ માત્ર મારા માટે લખેલ છે.

ભૂખ સદીઓથી મરી ગઈ છે અમને તોય,
કોઈક ખુશ થાય એટલા માટે થોડું ખાઈ લઈએ છીએ

- હેતવી સોની

No comments:

Post a Comment


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)