હાથની રેખાના વળ

હાથની રેખાના વળ ખુલતા હશે
રાહમાં એનીજ સહુ જીવતાં હશે

ભોળપણ ને બાળપણ બન્ને હજુ
ઉંબરા પાસેજ ટળવળતાં હશે

છન્ન પાયલ, ને સુરાના છમ્મથી
કેટલાના કાળજા ઠરતાં હશે

મૈકદામાં ક્યાં કદી આવે ખુદા
બેઉ જોકે પ્રાસમાં મળતા હશે

બોધ પરવાના ઉપરથી લઈ બધાં
મોતની શમ્મા ઉપર જલતા હશે

- ડો. જગદિપ નાણવાટી

No comments:

Post a Comment


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)