શાંતિ તો પારાવાર છે

અંતરે શાંતિ તો પારાવાર છે
પ્રેમનો જયાં થાય ગુણાકાર છે,
દુ:ખનો થઇ જાય ભાગાકાર છે.
તીર કે તલવારને ભૂલી જશો,
આ કલમ એથી ય પાણીદાર છે.
યાદ, તો ભગવાનને કરતા રહો,
આફતોનો એટલો આભાર છે.
સાજની મોહતાજ સુંદરતા નથી,
સાદગી બસ આપનો શણગાર છે.
મન મહીં ડૂબ્યા વગર શું જાણશો?,
અંતરે શાંતિ તો પારાવાર છે.

- રાકેશ ઠક્કર

No comments:

Post a Comment


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)