અંતરે શાંતિ તો પારાવાર છે
પ્રેમનો જયાં થાય ગુણાકાર છે,
દુ:ખનો થઇ જાય ભાગાકાર છે.
તીર કે તલવારને ભૂલી જશો,
આ કલમ એથી ય પાણીદાર છે.
યાદ, તો ભગવાનને કરતા રહો,
આફતોનો એટલો આભાર છે.
સાજની મોહતાજ સુંદરતા નથી,
સાદગી બસ આપનો શણગાર છે.
મન મહીં ડૂબ્યા વગર શું જાણશો?,
અંતરે શાંતિ તો પારાવાર છે.
- રાકેશ ઠક્કર
No comments:
Post a Comment