એક ઘા - સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી)

તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,
છૂટ્યો તે ને અરરર! પડી ગાળ હૈયા મહીં તો.
રે! રે! લાગ્યો દિલ પર અને વિશ્વાસ રુંધાઈ જાતા,
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થાતામાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ થી આ,
પાણી છાટ્યું દિલ ધડકતે ત્હોયે ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે? જોખમ દિલના ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે? હ્રદય કુમળું છેક તેનું અહોહો!

આહા! કિંતુ કળ ઊતરી ને આંખ ઊઘડી એ,
મૃત્યુ થાશે? જીવ ઉગરશે? કોણ જાણી શકે એ,
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીવ ગાવા ફરીને,
આ વાળીના મધુર ફળને ચાખવાને ફરીને.

રે! રે! કિંતુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્હોયે ડરી ડરી અને ઈચ્છતું ઊડવાને;
રે! રે! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.

- સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી)

No comments:

Post a Comment


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)