ભાવ-અભાવ- શબ્દશ્યામ કૃત

સુખ નો પણ એક ભાર હોય છે,
દુખ પણ ક્યારેક એક આધાર હોય છે.

લિલ્લિછ્મ્મ લાગણી ઓ તો પલવાર હોય છે,
લાગણીઓ નો દિલમા દુકાળ પારાવાર હોય છે.

કડકતી વીજળી નો ઉજાસ ક્ષણવાર હોય છે,
વારસાદ મા લાગતા દાગ અપરંપાર હોય છે.

સંમ્બન્ધો મા શબ્દો પર મદાર હોય છે,
શબ્દોની પણ કાતિલ એક ધાર હોય છે.

મન મા ભટ્કતા અનેક વિચાર હોય છે,
ક્યારેક ભટકી જવા માજ શાર હોય છે.

તબિબો પણ આમતો ઘણા બિમાર હોય છે,
દિલ જીતનારના હાથમા કયાં તલવાર હોય છે?.

અમિરો ને પૈસાની બહુ ભરમાર હોય છે,
પણ તેનો ક્યાંકોઇ સાચો દિલદાર હોય છે?.

જીવતા આદમી નું કલેજુ ઠંડુગાર હોય છે,
કબરમા સુતેલ હૈયામા પણ ધબકાર હોય છે.

ગગન નો વરસાદ મંદ મથાર હોય છે,
અશ્રુ ના શ્રાવણ ભાદરવા ચૌધર હોય છે.

મન્દિરમા જઇ ભિખ માંગતા શાહુકાર હોય છે,
રસ્તે રઝ્ડતો ભિખારિ વધુ ખુદાર હોય છે.

દુનિયા દારી નો રોકડો વેપાર હોય છે,
દારિયાદિલના ખાતે બોલતું ગણુ ઉધાર હોય છે.

રાજાઓ ના મહેલો પણ નર્કાગાર હોય છે,
રંક્ના દિલમા પણ ભરાતા દરબાર હોય છે.

નાની મોટી અથડામણો તો બેસુમાર હોય છે,
વિચારો નો ટ્કરાવ ઘણો ગમખ્વાર હોય છે.

રુપૂમતિ ઐશ્વરિયાઓ પાસે કિમતી હાર હોય છે,
સાધુને તો સાદગીજ એક અલંકાર હોય છે.

નેતાઓની વાણીમા ઠાલા વચનોનો રણકાર હોય છે,
પીડાતી પ્રજાનુ મૌન એક ચિત્કર હોય છે.

- શબ્દશ્યામ કૃત

No comments:

Post a Comment


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)