અધુરા પ્રેમ ના ઉદાહરણ - શ્રેયસ ત્રિવેદી ‘હોશ’

અમસ્તા જ નથી પાગલ થતા લોકો,
તેની પાછળ કૈંક કારણ હોય છે.

મદહોશ બનાવે છે પ્રેમીજનોને એવું,
ચાંદની રાત નું વાતાવરણ હોય છે.

લાગશે એ પણ મીઠા ભલે હોય ઝઘડા,
જેના છુપાયેલું પ્રેમ નું આવરણ હોય છે.

એક નજર પડતા ચોરાય જાય હૃદય,
પછી થતા એ દર્દનું ક્યાં મારણ હોય છે.

શું પૂર્ણ થયેલા પ્રેમ નો કોઈ મતલબ નથી ‘હોશ,
‘કે હંમેશા અધુરા પ્રેમ ના ઉદાહરણ હોય છે.

- શ્રેયસ ત્રિવેદી ‘હોશ’

No comments:

Post a Comment


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)