દરેકને મંજીલ નથી મળતી

આ દુનિયામા હર કોઇને ગમતી વસ્તુ નથી મળતી.
મળવા ખાતર મળી જાય છે બધુ,મન ને શાંતિ નથી મળતી.

કોઇક એવુ હોય છે જેને પામવા મન સતત અધીરુ હોય છે,
પણ મનની અધીરાઇ સમજી સકે તેવી વ્યકિત નથી મળતી.

જેને શોધતા હોય છે નયન તેવી છબી નથી મળતી.
મનમા અવિરત તરવરતી હોય છે, એ આક્રુતિ નથી મળતી.

પ્રેમમાં મળી તો જતા હોય છે મન,પણ નસીબની રેખા નથી મળતી.
ચાલી નીકળે છે બધા પ્રેમના માર્ગે પણ, દરેકને મંજીલ નથી મળતી.

No comments:

Post a Comment


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)