ગઝલાક્ષરી - 5

જીવનમાં બને એવા ય બનાવ;
સાવ અમસ્તો થઈ જાય તનાવ.
નટવર મહેતા

જીવનમાં બને એવા ય બનાવ;
કારણ વગર થઈ જાય અણબનાવ!
- મહેન્દ્ર શાહ.

*****

નથી આવડતું નટવર લખતા તને;
હવે કોઈ બીજા પાસે કંઈ લખાવ.
- નટવર મહેતા

નથી આવડતું નટવર લખતા તને;
તો તારી ગઝલનું રહસ્ય મને બતાવ!
- મહેન્દ્ર શાહ.

*****

સ્પર્શની એક મજા છે એ દોસ્તો;
સુંવાળા સ્પર્શથી ય રૂઝાય ઘાવ.
- નટવર મહેતા

સ્પર્શની મજા ચખાડીને આમ તું ના મને ડુકાવ;
સુંવાળા એ ક્ષણિક સુખથી ના તું મને સતાવ!
- મહેન્દ્ર શાહ.

*****

ધનદોલત, રૂપ, યૌવનને શું કરવું;
મને તો જોઈએ માત્ર પ્રેમનો ભાવ.
- નયન પંચાલ

છતાં નયન બધા આના જ ભૂખ્યા છે;
આમ ખોટું બોલીને ના તું મને નચાવ!
- મહેન્દ્ર શાહ

સ્ત્રોત : મારા મેઈલ બોક્ષમાં થી.. મહેન્દ્રભાઈ પાસે થી પરવાનગી મળેલ છે... આ ગઝલાક્ષરી માં થી અમુક હિન્દી અને અંગ્રેજી પંક્તિઓ કાઢી નાખેલ છે..

No comments:

Post a Comment


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)