જૂનાં સંબંધોના સરવાળાં

”જૂનાં સંબંધોના સરવાળાં કરવાં ગમે છે;
મને આમજ ગોટાળાં કરવાં ગમે છે.

શાંત છું છતાં અશાંતી અનુભવું છું એટ્લે;
સ્થિર પાણીમાં કુંડાળાં કરવાં ગમે છે.

સ્વાર્થ સાધે છે લોકો મારી પાસે એટ્લે;
મને ક્યાં કોઇને વેગળાં કરવાં ગમે છે.

રક્તદાન કરવાં રક્ત રે’તુજ નથી કારણ;
મને હવે લોહીનાં કોગળાં કરવાં ગમે છે.

પાણી તો સીધું જ વહે છે ને “નિશાન”?
તો કેમ બધાંને વોકળાં કરવા ગમે છે..!

-કુશલ “નિશાન” દવે.

No comments:

Post a Comment


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)