સ્નેહનું મીલન જેટલું મધુર છે..
એ સ્નેહ થી દીલ ચુર ચુર છે...
આકાશ ને ધરતી આમ તો મળતા નથી....
તોય ક્ષીતીજ નુ નામ મશહુર છે.....
નથી રહ્યા
નિર્દોષ આંખડીના ઇશારા નથી રહ્યા
જીવન અને મરણના સહારા નથી રહ્યા
કોઈનો કેવી રીતે ભરોસો કરું ભલા
મિત્રોય આજકાલ તો મારા નથી રહ્યા
જીવન અને મરણના સહારા નથી રહ્યા
કોઈનો કેવી રીતે ભરોસો કરું ભલા
મિત્રોય આજકાલ તો મારા નથી રહ્યા
નથી દેતા...
આપે છે દિલાસો અને રડવા નથી દેતા,
દુ:ખ મારૂ મિત્ર મને જીરવવા નથી દેતા,
આંસુ જ ટકાવે છે મને ભેજ બની,
એ જીવતા માણસ ને સળગવા નથી દેતા
દુ:ખ મારૂ મિત્ર મને જીરવવા નથી દેતા,
આંસુ જ ટકાવે છે મને ભેજ બની,
એ જીવતા માણસ ને સળગવા નથી દેતા
પાણીના ટીપે...
પાણીના ટીપે ઘાસમાં જઈએ
ચાલને,કોઈ પ્રવાસમાં જઈએ
પહેલી વર્ષામાં એક થઈને પછી
માટીના ભીના શ્વાસમાં જઈએ.
ચાલને,કોઈ પ્રવાસમાં જઈએ
પહેલી વર્ષામાં એક થઈને પછી
માટીના ભીના શ્વાસમાં જઈએ.
સંબંધો...
સંબંધો એવા બનાવો કે જેમા ..
શબ્દો ઓછા ને સમજ વધારે હોય
વિવાદ ઓછા ને સ્નેહ વધારે હોય્
શ્વાસ ઓછો ને વિશ્વાસ વધારે હોય,
પુરાવા ઓછા ને પ્રેમ વધારે હોય.
શબ્દો ઓછા ને સમજ વધારે હોય
વિવાદ ઓછા ને સ્નેહ વધારે હોય્
શ્વાસ ઓછો ને વિશ્વાસ વધારે હોય,
પુરાવા ઓછા ને પ્રેમ વધારે હોય.
રહી જાઉં......
સહવાસના પડઘામાં અબોલો રહી જાઉં
ઘરમાં જ વસું તોય ભટકતો રહી જાઉં
જો પ્રેમ મળે છે તો પ્રતિબિંબની જેમ
પાણીમાં પડું તોય હું સુક્કો રહી જાઉં
ઘરમાં જ વસું તોય ભટકતો રહી જાઉં
જો પ્રેમ મળે છે તો પ્રતિબિંબની જેમ
પાણીમાં પડું તોય હું સુક્કો રહી જાઉં
પ્રેમ !!!!!!!!!!
પ્રેમ શુ છે ? એ ના પુછો તો સારુ !
સાચવો તો અમ્રુત છે પીઓ તો ઝેહર છે !
હર રાત એક મિઠો ઉજાગરો છે !
આખ અને નિન્દર ને સામ સામુ વેર છે.." એનુ નામ પ્રેમ છે "..
સાચવો તો અમ્રુત છે પીઓ તો ઝેહર છે !
હર રાત એક મિઠો ઉજાગરો છે !
આખ અને નિન્દર ને સામ સામુ વેર છે.." એનુ નામ પ્રેમ છે "..
તું અને હું
તું અને હું જાણે સામા કિનારા
વચ્ચે આ વહેતું એ શું?
વાણી તો જાણે વાદલ વૈશાખના
મૌન કંઈ કહેતું એ શું?
હળવેથી વાતી આ લેહેરાતી
લેહેરખીને લેહેરખીમાં ફૂલોની માયા,
કલકલ વેહેતી આ કાળી કાલિંદી
એમાં કદબંની છાયા,
માયા ને છાયા તો સમજ્યા સાજન
પણ શ્વાસોંમાં મેહેકતું એ શું?
શમણાંની શેરીમાં પગલાનો રવ
ને પગલામાં ઝાંઝવાના પૂર,
ખાલી તો ઓઢીને સુનૂ આ ગામ
ને ગામ મહીં પીડા ના સૂર
પૂર અને સૂર તો સમજ્યા સાજન
પણ હ્રુદિયામાં રોતું એ શું?
- સુખદેવ પંડ્યા
વચ્ચે આ વહેતું એ શું?
વાણી તો જાણે વાદલ વૈશાખના
મૌન કંઈ કહેતું એ શું?
હળવેથી વાતી આ લેહેરાતી
લેહેરખીને લેહેરખીમાં ફૂલોની માયા,
કલકલ વેહેતી આ કાળી કાલિંદી
એમાં કદબંની છાયા,
માયા ને છાયા તો સમજ્યા સાજન
પણ શ્વાસોંમાં મેહેકતું એ શું?
શમણાંની શેરીમાં પગલાનો રવ
ને પગલામાં ઝાંઝવાના પૂર,
ખાલી તો ઓઢીને સુનૂ આ ગામ
ને ગામ મહીં પીડા ના સૂર
પૂર અને સૂર તો સમજ્યા સાજન
પણ હ્રુદિયામાં રોતું એ શું?
- સુખદેવ પંડ્યા
Subscribe to:
Posts (Atom)
પ્રિય મિત્રો,
જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.
કિરણકુમાર રોય
(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)