Showing posts with label વૈષ્ણવ ઈશિત. Show all posts
Showing posts with label વૈષ્ણવ ઈશિત. Show all posts
ઈશ્વર શક્ય બને - વૈષ્ણવ ઈશિત
આ દેશ ની નૌકા વહે એ તો જ શક્ય બને
કે આસું વહે ને વહેણ શક્ય બને
બધી પ્રાર્થનાઓ ફળશે ત્યારેજ જયારે
બે હાથ જોડો ને ઈશ્વર શક્ય બને
ઇતિહાસ,સંસ્કૃતિ ને પરંપરા જ મળે છે રાહમાં
કદાચ મૌન મળે ને ઉકેલ શક્ય બને
લખું છું એટલે કે હું પણ સમજી શકું
આપ પણ સમજો ને ગઝલ શક્ય બને
- વૈષ્ણવ ઈશિત
મૌલિક ગઝલ - વૈષ્ણવ ઈશિત
ભૂલી ચુક્યા છીએ હવે આંખોમાં આંસ
સ્વયં પ્રગટે છે તિમિર,પછાડી સૂરજનો અજવાસ,
વિશ્વાસનાં મિનારો કડકભૂસ છે પાયાઓના વાંકે,
બંધારણનાં બાંધકામને લગતો થયો છે પ્રશ્નાર્થ
ભારત એટલે ભારત એ સાચું કે પછી,
ભૂલ છે તારામાં અનન્વય અલંકાર!
વેન્ટીલેટર પર છે દેશની અખંડિતતા,
અનિયમિત છે હવે શ્વાચ્છોશ્વાસ
હોકાયંત્ર બરાબર નથી કે દિશાઓ ફરી ગઈ,
ભટકું છું ૧૦,જનપથ પર શોધવા હવે વિશ્વાસ
ધૂળ-માટી બની ગઈ છે વાસ્તવિકતા હવે ને
સોને કી ચિડીયા તો માત્ર એક આભાસ!
- વૈષ્ણવ ઈશિત
Subscribe to:
Posts (Atom)
પ્રિય મિત્રો,
જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.
કિરણકુમાર રોય
(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)