Showing posts with label ઉર્વીશ વસાવડા. Show all posts
Showing posts with label ઉર્વીશ વસાવડા. Show all posts

જાતની સાથે જ સોબત થઇ ગઇ

જાતની સાથે જ સોબત થઇ ગઇ.
એકલા રહેવાની આદત થઇ ગઇ.

એક આંસુ કો’કનું લૂછી દીધું,
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ.

આયના સામે કશા કારણ વગર,
આજ બસ મારે અદાવત થઇ ગઇ.

શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધે,
કેવડી મોટી સખાવત થઇ ગઇ.

એમણે પીડા વિશે પૂછ્યા પછી,
કેટલી પીડામાં રાહત થઈ ગઈ.

કાલ મન ઉજજડ હતું પણ આજ તો,
કૈંક સ્મરણનો વસાહત થઇ ગઇ.

- ઉર્વીશ વસાવડા

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)