સંબધ

આપણા સંબધ નો એજ સાર છે,
પાણી ની સમજ નથી અને વ્હાણ નો આકાર છે.

સંબંધો...

સંબંધો એવા બનાવો કે જેમા ..
શબ્દો ઓછા ને સમજ વધારે હોય
વિવાદ ઓછા ને સ્નેહ વધારે હોય્
શ્વાસ ઓછો ને વિશ્વાસ વધારે હોય,
પુરાવા ઓછા ને પ્રેમ વધારે હોય.

રહી જાઉં......

સહવાસના પડઘામાં અબોલો રહી જાઉં
ઘરમાં જ વસું તોય ભટકતો રહી જાઉં
જો પ્રેમ મળે છે તો પ્રતિબિંબની જેમ
પાણીમાં પડું તોય હું સુક્કો રહી જાઉં

પ્રેમ !!!!!!!!!!

પ્રેમ શુ છે ? એ ના પુછો તો સારુ !
સાચવો તો અમ્રુત છે પીઓ તો ઝેહર છે !
હર રાત એક મિઠો ઉજાગરો છે !
આખ અને નિન્દર ને સામ સામુ વેર છે.." એનુ નામ પ્રેમ છે "..

તું અને હું

તું અને હું જાણે સામા કિનારા
વચ્ચે આ વહેતું એ શું?
વાણી તો જાણે વાદલ વૈશાખના
મૌન કંઈ કહેતું એ શું?

હળવેથી વાતી આ લેહેરાતી
લેહેરખીને લેહેરખીમાં ફૂલોની માયા,
કલકલ વેહેતી આ કાળી કાલિંદી
એમાં કદબંની છાયા,
માયા ને છાયા તો સમજ્યા સાજન
પણ શ્વાસોંમાં મેહેકતું એ શું?

શમણાંની શેરીમાં પગલાનો રવ
ને પગલામાં ઝાંઝવાના પૂર,
ખાલી તો ઓઢીને સુનૂ આ ગામ
ને ગામ મહીં પીડા ના સૂર
પૂર અને સૂર તો સમજ્યા સાજન
પણ હ્રુદિયામાં રોતું એ શું?

- સુખદેવ પંડ્યા

મરીઝ

પ્રેમમાં ખેંચાણ છે, આવી ગઈ શ્રધ્ધા મને
એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને
હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહિ,
તું મને જોતે, તો જોતી થઈ જતે દુનિયા મને.

- મરીઝ

મન થાય..

મન મુકી તારા પર વરસવાનું મન થાય..
ભીંજ્વી તને ખુદ ભીંજાવાનુ મન થાય..
હાથમાં રાખી હાથ નજીક બેસવાનું મન થાય..
ને તારા જ સ્પર્શ થકી મહેંવાનું મન થાય..
તારા જ રંગે રંગાવાનું મન થાય..
ને પછી,તારામાં જ ભળી જવાનું મન થાય..
ફક્ત તને એક ને જ પામવાનું મન થાય..
ને માઋ તારે કારણે જ મને જીવવાનું મન થાય.....

શંકર નથી હોતા.......

મુહોબ્બતના સવાલોના કોઈ જવાબ નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા,
મળે છે કોઈ એક જ પ્રેમી ને સચી લગન દીલ ની,
બધાયે ઝેર પીનારા ઓ કૈં શંકર નથી હોતા............

આવજે......

પ્રશ્ન કોઇ થાય ત્યારે આવજે
કંઈ દ્વિધા સર્જાય ત્યારે આવજે.
ખોખલો આધાર લઈ ઊડે છે તું,
આભથી પટકાય ત્યારે આવજે.
લાગણી શબ્દોથી પર છે, જાણી લે,
મૌન જો સમજાય ત્યારે આવજે.
હું ઝીલું છું ગીત ઊર્મિના અહીં,
કંપ ત્યાં ઝીલાય ત્યારે આવજે.
તેં સમજના દ્વારને વાસી દીધા,
અણસમજ ઘૂંટાય ત્યારે આવજે.
મેં લખી છે આપવીતી, આમ તો,
વેદના વંચાય ત્યારે આવજે.

'હા' અને 'ના'

તારી 'હા' અને 'ના' મારા
માટે બન્ને મહત્વની છે...

તું 'ના' પાડીશ તો તારા હૃદયમાં
અકબંધ લાગણી બનીને રહીશ...
.
તું 'હા' પાડીશ તો તારા કપાળનું
કુમકુમ બનીને રહીશ..
.
પણ હું રહીશ તો તારી જ સાથે...

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)